Posts

મીંઢોળ

Image
મીંઢોળ શબ્દ તો તમે સાંભળ્યું જ હશે જે લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે, તો જાણો આનું વૃક્ષ કેવું હોઈ છે અને ખાસિયતો મીંઢળ સંસ્કૃતમાં મદનફળ તરીકે જાણીતું છે. તેનું વૈજ્ઞાનિક નામ randia dumetorum છે. મીંઢળ ક્યાં થાય છે? મધ્યમ કદનું ક્ષુપ પાનખર સૂકા જંગલો પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે . શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે . આ વૃક્ષનાં ફળ એકથી દોઢ ઈંચ લાંબાં, અડધાથી એક ઈંચ પહોળા અને અખરોટ આકારના હોય છે. આ ફળમાં બીજ રહેલા હોય છે. જયેષ્ઠમાં ફળ આવે છે, અને શીતઋતુમાં પાકે છે. આ વૃક્ષ આખા ભારતમાં પહાડી પ્રદેશમાં થાય છે. હિમાલય, સિંધુ નદીનો પ્રદેશ, પશ્ચિમ બંગાળ, શિવપુરી, મહાબળેશ્વર, વિંધ્યાચળ, રાજસ્થાન, અરવલ્લી પર્વતમાળા વગેરેમાં પર્વતની તળેટી, ઝરણાં અને છાયાવાળી જગ્યાએ ઉત્પન્ન થાય છે. આ વૃક્ષનાં મૂળ, પાન, ફૂલ, ફળને છાલ ઔષધરૂપે પ્રયોજાય છે. આ વૃક્ષનાં પર્ણ અપામાર્ગનાં પર્ણો જેવાં અને સામ-સામે આવેલાં હોય છે. પર્ણ ઉપરથી પહોળા અને છેડેથી સાંકડા હોય છે. પર્ણો બંને બાજુ શ્વેત રોમાવલી અને ગંધ તથા સ્વાદ અરૂચિકર હોય છે. આ વૃક્ષનાં ફૂલ ...

હાદો ડાંગર - દોલત ભટ્ટ

Image
લાઠી ગામમાં ડાંગર કુળના આયરનું ખોરડું છે. ડાંગર કુળના દીવડા જેવા બે ભાયું ખોરડાની વંશપરાની આબરૂને અણનમ રાખીને જીવતર જીવે છે. ટાણે-કટાણે આવેલાને રુક્ષ આવકાર મળે છે. સાંજ-સવાર ખોરડે પાંચ-પચાસ મહેમાનો એંઠા હાથ કરે છે. ધીંગી ધરા બારેય માસ પ્રાસવા મળે છે. આંગણે હાથણિયું જેવી ભગરી ભેંશુંનાં દૂઝણાં છે. એક વસૂકે ને બે વિયાય એવો ક્રમ જળવાતો રહે છે. એટલે દૂધનાં બોઘરાં કોઈ દી ઊણાં દેખાતાં નથી. આવી દોમ દોમ સાહ્યબીમાં બેય ભાયું આળોટે છે. એકનું નામ છે ખોખો ડાંગર અને બીજાનું હાદો ડાંગર. જેવો ખોખો પોરસીલો છે, એવો જ હાદો આગના કટકા જેવો છે. રાત-દી ધરતી ફાડી બાપોડી લઈને ભોમકાને રીઝવી અનગળ દાણો પેદા કરનારો હાદો ડાંગર ટાણું આવ્યે તલવાર પણ તાણી જાણે છે. હાદાની કાયા માથે જુવાની જાણે ભગડતૂતી રમવા માંડી છે. ત્રાંબાવરણા દેહ ઉપરથી ખમીર ત્રબકી રહ્યું છે. આવા હાદા ડાંગરની પરણેતર આહીરાણી હજી તો આણુ વળીને હાલી આવે છે. પણ જાણે કે રાણીનો વસવાટ ઘરમાં જનમથી જ હોય એમ ઘરનો બધોય ભાર માથે વેંઢારી લીધો છે. દૂઝણાં, વાસીદાં, પાણી, ઝાડ-છોડ જાણે કે એને વળગીને પડ્યાં હોય એમ ઘડીવારેય નવરી રહેતી નથી. છાતી સમાણો ઘૂમટો તાણીને એ તો ફૂ...

ગરબડદાસ મુખી : આંદામાનની જેલમાં જનારા સૌપ્રથમ ગુજરાતી શહીદ

Image
આંદામાની બદનામ સેલ્યુલર જેલમાં એક મોટું અને લાંબું લિસ્ટ ત્યાં રાખેલા કેદીઓનું મૂકવામાં આવેલું છે. તેમાં ખુભ બારીકાઈથી જોઈએ તો એક જ ગુજરાતી નામ છે તે “ગરબડદાસ મુખી” . કોણ હતા આ ગરબડદાસ મુખી?? તેમનું વતન  આણંદ ગામ આજે તો નગર છે. તેમાં નાનું અડધું ફળિયું તે ગરબડ મુખી ના ઘરવાળુ ફળિયું..૧૮૫૭ના વિપ્લવનો સમયગાળો..ભારતભરમાં પ્રથમવાર ગોરાઓને હટાવો તેવો સુર ઊઠ્યો હતો..હિન્દ આ વેપારીના વેષેે આવેલા કપટીઓના કપટને ઓળખતું થયું હતું..દેશભરમાં  ઠેર ઠેર ગોરાઓ સામે વિરોધના વંટોળ ચઢ્યા.. ગુજરાત પણ તેનાથી બકાત નહોતું.. તેવો જ અરેરાટી ભર્યો કિસ્સો આણંદના ખાનપુર ગામે બન્યો..બ્રિટિશ સેનાએ ખાનપુર પહોંચીને ચળવળ કરનારા લોકો ઉપર અત્યાચાર કરેલો અને જીવાભાઈ ઠાકોરને ગામ વચ્ચે ફાંસીએ લટકાવી દીધેલા. વસ્તી ત્રાહીમામ પોકારી ગઈ હતી તેમાં આ ખાનપુરના બનાવે આગમાં પેટ્રોલ છાટ્યા જેવું કરી દીધું.. વિપ્લવીઓ ભારે ક્રોધે ભરાયા હતા..આમ જનતામાં આ બનાવે સોપો પડી ગયો હતો. ખાનપુરમાં સોપો પાડીને ગોરાઓની સેના આણંદની લોટિયા ભાગોળે આવી પહોંચી.. અહીં તેણે કાયમી છાવણી નાખી દીધી.આ છાવણી પર આઝાદીના દીવાના વિપ્લવીઓએ...

કરમસદ

Image
! કરમસદ = સદ્દ + કરમ !  કરમસદનો સીધો અર્થ સદ્દ-કરમ એવો થાય છે અને કરમસદનાં સદ્દ-કર્મોનાં ફળ સ્વરૂપે વલ્લભવિધાનગર જોઈ શકાય છે. આ ગામના અનેક પરિવાર વિદેશમાં વસવાટ કરે છે પણ ચરોતર પ્રત્યે તેઓનો પ્રેમ એવો જ રહ્યો છે જે ગામના અને આજુબાજુનાં ગામડાઓનાં વિકાસ જોઈને જાણી શકાય છે. નવા વિકાસની સાથે પૌરાણિક વારસો પણ કરમસદ નગરે સાચવી રાખ્યો છે. અહી અનેક કલાત્મક મકાનો, ભવનો, દેવાલયો, જાહેર બાંધકામો જોઈ શકાય છે કે જેમાં ઘણાં બાંધકામોમાં વિદેશી સ્થાપત્યની ઝલક જોઈ શકાય છે. અહીનું સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટની રચના, સુંદર સરંચના, વ્યવસ્થાપન, ગેલેરીનું સુંદર ગોઠવણ અદ્દભુત છે. 

જાણો ચરોતરના ભૂલાયેલા શહીદો વિશે : અડાસના અમર શહીદો

Image
૧૯૪૨ ની આઠમી ઓગષ્ટે ભારતીય કોંગ્રેસની મહાસમીતીની મુંબઈ બેઠકમાં ગાંધીજીએ યાદગાર પ્રવચન આપ્યું. અંગ્રેજ સરકારને આખરીનામું આપી ‘હિન્દ છોડો’ નો આદેશ આપ્યો અને ભારતની જનતાને ‘કરેંગે યા મરેંગે’નો મંત્ર આપ્યો. અંગ્રેજ સરકારે દમનનો દોર છુટો મુક્યો, ગાંધીજી અને તમામ નેતાઓની ધરપકડ કરી, કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરી અને વર્તમાનપત્રો ઉપર બંધનો ના નાખ્યા. પરંતુ ક્રાંતિની ચિનગારીએ મહાનલનું સ્વરૂપ ધારણ કર્યું અને દેશભરમાં ક્રાંતિની જ્વાલા પ્રસરી ગઈ. અંગ્રેજ સરકારે લોકો ઉપર પારાવાર સીતમ ગુજાર્યો-પાશવતા આચરી. દેશના અસંખ્યા નવયુવાનોએ હસતે મોઢે ગોળીઓ ઝીલી. ૧૯૪૨ ની લોકક્રાંતિમાં આઝાદીની વેદી ઉપર યુવાનોએ આપેલું બલિદાન કદી પણ ભુલી શકાશે નહિ. ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા અડાસ ગામે પણ ૧૮મી ઓગષ્ટ ૧૯૪૨ ના રોજ શહાદતનો ઈતિહાસ સર્જ્યો. તે દિવસે વડોદરાની કોલેજો-શાળાઓમાં ભણતા ૩૪ થનગનતા નવયુવાનો, ‘કરેંગે યા મરેંગે-અંગ્રેજો ચાલ્યા જાવ’નો ગાંધીજીનો સંદેશો ગામડે ગામડે પહોંચાડવા, વડોદરાથી કુચ કરતાં બાજવા ગયા અને ત્યાંથી ગાડીમાં બેસી નાવલી ગયા. નાવલીથી તેઓ ચાલતા વડોદ ગયા. ત્યાં તેઓ પોલીસની નજરે ચડ્યા અને સુ...